કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

દિવાળી તહેવાર 2024 | 6 દિવસોનું મહત્વ અને ઈતિહાસ | Epic Fun Fests

દિવાળી એ કોઈ એક દિવસનો તહેવાર નહીં પરંતુ વિવિધ તહેવારોની હારમાળા છે એટલે દિવાળી ફક્ત ઉત્સવ નહીં પણ ‘પર્વ’ બને છે! દિવાળીનો મુખ્ય દિવસ માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવ કુબેરની આરાધનાથી સંપન્ન થાય છે. લોકો આ દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજા સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

જાણો ધનતેરસનું મહત્વ અને કથા | ધનતેરસ 2024 ની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Epic Fun Fests

જાણો ધનતેરસનું મહત્વ અને કથા: ‘ધનતેરસ’ કે ‘ધનત્રયોદશી’ એ ફક્ત સોનું-ચાંદી કે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા સાધનો લેવા પૂરતું નથી. પરંતુ સ્વાસ્થ્યના દેવ ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ છે. જીવનમાં જો પ્રથમ ક્રમે વાણી, કલા, જ્ઞાન અને કૌશલ્યો આવતા હોય તો દ્વિતીય ક્રમે આવે છે સ્વાસ્થ્ય. કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો આપણે બધું કરી શકવા સમર્થ થઈ શકીએ. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી ચાર ભુજાઓ સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈ પ્રગટ થયા હતા. માટે ધનતેરસને દિવસે માતા લક્ષ્મી સાથે ધનવંતરી ભગવાનની આરાધના કરવાની પરંપરા છે. જે આપણને આગામી વર્ષ માટે નીરોગી અને દીર્ઘાયુ રહેવા આશીર્વાદરૂપ રહે છે. 

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

શરદ પૂર્ણિમા શા માટે મનાવવામાં આવે છે? | જાણો ખીરનું મહત્વ | માતા લક્ષ્મીની પૂજા વિધિ અને ધાર્મિક કથા | પર્વની પાઠશાળા

આસો મહિનાનિ પૂર્ણિમા અવસરે ઉજવાતો ભક્તિનો ભવ્ય ઉત્સવ એટલે ‘શરદ પૂર્ણિમા’. વર્ષાઋતુનું ગમન અને શરદ ઋતુના આગમનની ઉજવણી. એ ઉજવણી કે જ્યારે સ્વયં ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેના અમૃત વરસાવતા પ્રકાશની દિવ્યતામાં સૌ કોઈ મન મૂકીને રાસ ગરબા રમે છે. એવી પાવન શરદ પૂર્ણિમાની મહિમા, મહત્વ અને કથા વિષે આપણે ‘પર્વની પાઠશાળા’ માં ચર્ચા કરીશું. 

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

ડૉ. કૃપેશ ઠક્કર ગિટાર અને ગીતા લઈ ‘મ્યુઝિક થેરપી ફોર ઓલ’ અભિયાન માટે કરે છે ભારત ભ્રમણ!

એક તરફ જ્યાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. ત્યારે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ થી ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ એ સંગીતની મદદથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવા માટે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સેવાનો અભિયાન શરૂ કર્યો છે. કે જેમાં તેઓ 50 દિવસ સુધી ભારતના દિલ્લી, મુંબઈ, બેંગલોર, અયોધ્યા, વૃંદાવન, મથુરા સહિતના 25થી પણ વધુ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સાથે વ્યક્તિગત અને સામૂહિક મ્યુઝિક થેરાપીના સેશન થકી ઉંમર, જાતિ કે સામાજિક ભેદભાવ વિના મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે થયો યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ

હાલમાં વિજયા દશમી નિમિતે ગિવ વાચા સેન્ટર કચ્છ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ થયા. જેમાં ભારત યાત્રાએ નીકળેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ બાળકો, વાલીઓ અને વડીલોને વેદમંત્રો અને સંગીતના વિજ્ઞાનની સમજ આપી. કાર્યક્રમની શરૂઆતમાં વેદોક્ત શાંતિપાઠ સાથે પંચેશ્વર ભગવાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામ ચરિત માનસ, શિવ પુરાણ, અને ગિટારની પૂજા થઈ. ત્યારબાદ તબીબ પરિવારએ ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ થી ડૉ. કૃપેશ એ માતૃભૂમિ કચ્છથી શરૂ કરી ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’.  

તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસંગે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું અંજાર કચ્છના કૃપ ગુરુકુલથી શુભારંભ થયું છે. જેમાં ભારતના બેસ્ટ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે જાણીતા ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ મ્યુઝિક થેરાપીની સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરોથી અવગત કરાવવા ૫૦ દિવસમાં ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવારની પહેલ લઈને  ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગેકૂચ કરી છે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

અષ્ટમીના શુભ અવસરે કુમારીકાઓ ના આશીર્વાદ સાથે થયું ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું પ્રથમ સત્ર

હાલમાં જ્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ દ્વારા આયોજિત ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ ની પચાસ દિવસ-પચ્ચીસ શહેરો અને એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ ની ભારત યાત્રાનો કચ્છથી શુભારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મ્યુઝિક થેરાપીનો પ્રથમ સત્ર અંજારના અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે યોજાયો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષકૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મ

શારદીય નવરાત્રી પ્રારંભ | નવરાત્રીના વિધિ-વિધાન, મહત્વ, મહિમા અને કથા | પર્વની પાઠશાળા

ભારતીય સંસ્કૃતિના પ્રમુખ તહેવારો માંથી એક છે ‘નવરાત્રી’. સંસ્કૃતિ અને ધાર્મિકતાને રંગે ચંગે ઉજવતો આ તહેવાર સામાન્ય રીતે વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર નવરાત્રી, શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નોરતા. પર્વની પાઠશાળામાં આજે આપણે શારદીય નવરાત્રી વિષે જાણીશું. આ નવરાત્રી પિતૃપક્ષ પૂર્ણ થયા પછી તરત આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ એટલે કે આ વર્ષે 3 જી ઓક્ટોબરે શરૂ થાય છે. જે 11 ઑક્ટોબર એમ નવ દિવસ સુધી દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની વંદના સાથે ઉજવાશે અને 12મી ઓક્ટોબર, દસમનો દિવસ ‘વિજયા દશમી’ એટલે કે  ‘દશેરા’ તરીકે ઉજવાશે.    

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી 7 પેઢીના પિતૃઓને મળે છે મોક્ષ | જાણો આ એકાદશી વ્રતની પૂજા વિધિ અને મહત્વ | પર્વની પાઠશાળા

‘ઈન્દિરા એકાદશી’ નું વ્રત કરવાથી યમલોક માંથી મુક્તિ મળે છે, એવું આપણા પુરાણોમાં કહેવાયું છે. તો આ એકાદશી સર્વ પાપોમાંથી મુક્ત કરનારી છે એવું સ્વયં ભગવાન કૃષ્ણ એ મહાભારત માંની એક કથામાં ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી એ વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપમુક્ત બને છે. એમાં પણ જો આ તિથિએ પિંડદાન, તર્પણ કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો મૃતકોને મોક્ષ મળે છે એવી પણ માન્યતા છે. ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. માટે ઈન્દિરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા-અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય, તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિ પૂર્વકનું ઈન્દિરા એકાદશી વ્રત તેમને સદગતિ અપાવે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા-અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે પણ ઈન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે.

Read More